Showing posts with label કવિતા. Show all posts
Showing posts with label કવિતા. Show all posts

Sunday, 18 February 2018

તમે આવ્યા હતા..


તમે આવ્યા હતા... એક સાંજે પુનમની ભરતીની જેમ...
ગ્રીષ્મના તડકાથી નંખાઈ ગયેલી રેતીને ભીંજવવા આવતી લહેરોની જેમ…
તમે આવ્યા હતા…
ફાગણમાં કેસુડા રંગ બનીને…
કોઈ વૃક્ષ પર પહેલી વખત આવેલા ફુલોની જેમ…
તમે આવ્યા હતા રણમાં ભુલા પડેલા મુસાફરને મળેલી મીઠી વિરડીની જેમ…
હજાર શોરની વચ્ચે મીઠુ સંગીત થઈને…
તમે આવ્યા હતા સુના બાગમાં કોઈ બુલબુલના ટોળાની જેમ…
ને તમારા આવ્યા પછી…ખીલી હતી વસંત ઉપવનમાં….
શરૂ થયો હતો ભમરાઓનો ગુંજારવ….
ને પછી પુનમની કોઈ રાતે પથરાતી ચાંદનીમાં ઓગળ્યા હતા આપણે બન્નેે એકબીજામાં…
દિવસો જતા ખિલ્યા હતા આપણી મહોબ્બતના ફુલો એ જ પુનમની ચાંદની જેમ…
વાગ્યા હતા બાણ જમાનાને કાળજે…
ને પછી…
પછી કાવતરા થયા હતા તારી અને મારી હૈયાતીને એક સાથે ન સાંખી લેવાના…
ને પછી આપણે એ વમળને માત આપી જીવન નાવને બે કિનારાની વચ્ચે સલામત રાખવાના સોગંદ લીધા હતા..
ને ત્યાં અચાનક... તમે જ…સાવ આવી રીતે…
હા.. તમે છેડી હતી વાત….તમારા અને મારા બે નોખા રસ્તાઓની…
એક રસ્તો જ્યાં તમે જવાના હતા…ને એક રસ્તો જે તમે મારા માટે કંડાર્યો…
તમે લઈ લીધુ હતુ વચન દરિયો પાર કરવાનું…તરાપો પકડાવીને…
ને પછી પલટાયા હતા રસ્તા…
તમારા અને મારા…
ચાલી નિકળ્યા હતા તમે…..ને જોઈ રહ્યો હતો હું તરસ્યુ હરણ જેમ મૃગજળને ઝંખે…
ને પછી તમે એ જ મૃગજળ... અને હું એ જ હરણ..જે ચાલ્યા કરે છે તલપ લઈને એ જ લક્ષ્યહીન દિશામાં...

Thursday, 23 March 2017

એ ભગતસિંહ તું જિંદા હૈ, હર એક લહુ કે કતરે મે, ઈન્કલાબ કે નારે મે....

ફોટો સૌજન્ય - ગૂગલ
ઈન્કલાબ એટલે કે ક્રાંતિનો પર્યાય અને ભારતદેશના યુવાનોના આદર્શ શહીદે આઝમ ભગતસિંહ કે જેઓએ અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદ કરવા માટે માત્ર 23 વર્ષની ઉમરમાં પોતાના પ્રાણની આહુતી આપી. સામાન્ય દ્રષ્ટિએ આજે ભગતસિંહને આઝાદીની લડાઈના ઉગ્ર આંદોલના પ્રમુખ ચહેરા તરીકે જોવામાં આવે છે. પરંતુ ભગતસિંહની જે ઓળખ છે તેનાથી તે ધણા વધારે છે. 23 માર્ચ 1931ના દિવસે ભગતસિંહ સાથે બીજા બે વિરલાઓ સુખદેવ અને રાજગુરૂએ જ્યાંરે ફાંસીને ચુમી તો દેશમાં આઝાદીની લડાઈમાં એક નવો જુવાળ આવ્યો અને હજારો યુવાનોએ શહીદીનો રસ્તો લીધો અને આખરે તેમની કુરબાનીના 16 વર્ષો બાદ આઝાદીનો સુરજ ઉગ્યો.
આજે ભારતમાં ત્રણ-ત્રણ વિરલાઓની શહીદીનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે, દેશભરમાં શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે ત્યારે ભગતસિંહથી માંડીને હમણા હમણા શહીદ થયેલા અમદાવાદના ગોપાલસિંહ ભદોરીયા સુધીના શહિદોને વર્તમાન સાથે જોડીને વાત કરવી છે. એક તરફ આઝાદીની લડાઈથી લઈને અત્યારસુધી અનેક માતાઓ પોતાના પુત્રને દેશ માટે કુરબાન કરી રહી છે તો બીજી તરફ આ જ દેશની સંસદમાં અને નેતાઓની રેલીઓમાં એ શહીદોના કફનની વોટ માટે નિલામી થઈ રહી છે. મહાત્માં ગાંધીની ખાદી પહેરીને આ નેતાઓ જ્યારે વોટ માટે શહીદોને બજારમાં મુકે છે ત્યારે માનસિક સ્થિતી ગીતાનો ઉપદેશ સાંભળ્યા પછીના અર્જુન જેવી થઈ જાય છે. બસ હથિયાર ઉપાડો અને અધર્મની સાથે રહેલા દરેકને હણી નાખો. પરંતુ આવી વેદનાઓને કલમથી કાગળ પર ઉતારવા સિવાય કોઈ રસ્તો નથી. એટલે આજે દેશની સ્થિતી જોઈને શહીદોની મનોસ્થિતીને વર્ણવવાનો એક પ્રયત્ન કર્યો છે. કેટલાક શબ્દો સમર્પિત છે માં ભારતીના કપાળનુ તિલક બની ગયેલા ભગત, સુખદેવ, રાજગુરૂ અને તેના જેવા જ અનેક માતાઓના લાલને...જય હિન્દ...

અમારી આ હાદત આજકાલ ક્યાંક વેડફાતી લાગે છે.
તીલક અને ટોપીના ઝધડામાં ક્યાંક અફડાતી લાગે છે.

ખૂનની હોળી ખેલીને કુરબાન થઈ ગયા અમે,
વાત ઈન્કલાબની આજકાલ ક્યાંક ભુલાતી લાગે છે.

ચાર ગજ જમીન પણ નહોતી અમારા નસીબમા,
આજે અમારા જ નામ પણ સસંદ આખી વેચાતી લાગે છે.

કેવા સપનાઓ જોયા હતા અમે આઝાદ-એ-હિન્દ માટે,
બે ચાર વેપારીઓના હાથે વતનની લાજ લૂંટાતી લાગે છે.

અમારી આ હાદત આજકાલ ક્યાંક વેડફાતી લાગે છે.
તીલક અને ટોપીના ઝધડામાં ક્યાંક અફડાતી લાગે છે.

Thursday, 25 August 2016

કહી દો પેલા કાનુડાને..


કહી દો પેલા કાનુડાને કે આવવુ હોય તો ભલે આવે, અમને કંઈ વાંધો નથી.
બસ કહેવુ છે એટલુ જ કે ગોકુળ ક્યાંથી લાવીશ ?

મથુરાની જેલ અને પેલી ઘનઘોર રાતો તો બહુ મળશે તને અવતરવા,
પણ માતા દેવકીનો ખોળો અને પિતા વાસુદેવ ક્યાથી લાવીશ ?

સાંભળ્યુ છે કે છે તને મટકી ફોડીને માખણ ખાવાની આદત,
અમૂલ  અને વિમલના જમાનામાં તું ક્યાથી ફાવિશ ?

કહેવાય છે કે ચપટીભર ચોખાનોય હિસાબ રાખે છે તું,
લેવાને પેલા તાંદુલનો હિલાબ તારો યાર સુદામાં ક્યાથી લાવીશ ?

કદંબના વ્રૂક્ષ તો એક-બે મળશે તને વાંસળી વગાડવા,
પણ એ વાંસળીના સુરઘેલી રાધા ને પેલી ગોપીઓ ક્યાથી લાવીશ ?

સ્વાર્થની આ દુનીયામા મહાભારત કરાવવુ કોઈ મોટુ કામ નહી હોય,
બસ કૂરૂક્ષેત્રના મેદાનમાં ગાંડીવધારી અર્જુન ક્યાથી લાવીશ ?

એટલે જ તો કહે છે આ અણસમજુ દિલ આવવુ હોય તો ભલે આવે,
જ્યા પથ્થરે પથ્થરે ભગવાન થાય છે, ત્યા તારૂ ભગવાનપણુ કેમ સાચવીશ ?

Saturday, 16 April 2016

દરેક હસતા ચહેરાની ભીત્તર એક દર્દ હોય છે..


ફોટો સૌજન્ય - ગૂગલ ઈમેજ

           એક એવો વ્યક્તિ કે જે ક્યારેય કંઈ બોલે નહિં અને દુનિયાભરના લોકોને હસાવી જાય. પોતાના જીવનની દરેક ક્ષણ લોકોને હસાવવામાં ખર્ચી નાખનાર દુનિયાના સૌથી મોટા જોકર એવા ચાર્લી ચેપ્લિનને તેનના જન્મદિવસ નિમિત્તે યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.. દુનિયાભરમાં પોતાના હાસ્યથી લોકોના દિલ જીતી લેનારા ચાર્લી ચેપ્લિન હંમેશા મારા માટે એક મોટી પ્રેરણા રહ્યા છે. તો આજના દિવસે થોડા શબ્દોમાં એમને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે.
દરેક હસતા ચહેરાની ભીત્તર એક દર્દ હોય છે.
માન્યું કે અવાજ નથી હોતો પણ આઘાત હોય છે.

રોશનીની સાથે રોશન રહેવાની તેઓને ટેવ હોય છે.
આવા ચહેરાના અંધારા ઉદાસ હોય છે.

ભીત્તરમાં દાવાનળ છુપાવી તેઓ જીવી જાય છે,
આંખ ભીતરના દર્દથી દુનિયાને ક્યાં કોઈ મતલબ હોય છે ?

સહેજ ભીંજાતી આંખ આજકાલ ક્યાં કોઈને દેખાય છે ?
દુનિયાને તો હોઠ પરના સ્મિતથી જ મતલબ હોય છે.

સતત સ્નેહ નીતરતી આંખોને માવઠાની મૌસમ નથી હોતી.
તેઓને તો અષાઢની હેલી જ વરસવાની મૌસમ હોય છે.

Friday, 5 February 2016

આજ સપનામાં તારી સાથે...


આજ સપનામાં તારી સાથે વાત મંડાણીતી,
તારા શબ્દોની સાથે રાત પણ ખેચાણીતી.

તારા ચહેરાના નુરની સામે ફિક્કો પડતો તો ચાંદ પણ,
હોંઠોથી ખરતા હાસ્યથી ચાંદની પણ તણાતીતી.

ઊગવાને ઉભેલો સૂર્યય થાક્યો તો તારી રાહમાં,
તારલાઓની મહેફીલેય હવે તો ઊઘવાને મંડાણીતી.

ફૂલને ન ઉગવા દેવાતો આરોપ છે તારા પર,
તેની તો ઉબરે આવેલી જવાની રોકાણીતી.

Friday, 29 November 2013

સ્મિત

આ ગુલાબી હોંઠોની હસીને સંભાળ જરા,
જોજે ક્યાંક એ વેરાઈ ન જાય.
તુ નમણુ ફુલ છે ને વસંતની મૌસમ છે,
જોજે ભમરાઓ મંડરાઈ ન જાય.