Showing posts with label Janmasthmi. Show all posts
Showing posts with label Janmasthmi. Show all posts

Thursday, 25 August 2016

કહી દો પેલા કાનુડાને..


કહી દો પેલા કાનુડાને કે આવવુ હોય તો ભલે આવે, અમને કંઈ વાંધો નથી.
બસ કહેવુ છે એટલુ જ કે ગોકુળ ક્યાંથી લાવીશ ?

મથુરાની જેલ અને પેલી ઘનઘોર રાતો તો બહુ મળશે તને અવતરવા,
પણ માતા દેવકીનો ખોળો અને પિતા વાસુદેવ ક્યાથી લાવીશ ?

સાંભળ્યુ છે કે છે તને મટકી ફોડીને માખણ ખાવાની આદત,
અમૂલ  અને વિમલના જમાનામાં તું ક્યાથી ફાવિશ ?

કહેવાય છે કે ચપટીભર ચોખાનોય હિસાબ રાખે છે તું,
લેવાને પેલા તાંદુલનો હિલાબ તારો યાર સુદામાં ક્યાથી લાવીશ ?

કદંબના વ્રૂક્ષ તો એક-બે મળશે તને વાંસળી વગાડવા,
પણ એ વાંસળીના સુરઘેલી રાધા ને પેલી ગોપીઓ ક્યાથી લાવીશ ?

સ્વાર્થની આ દુનીયામા મહાભારત કરાવવુ કોઈ મોટુ કામ નહી હોય,
બસ કૂરૂક્ષેત્રના મેદાનમાં ગાંડીવધારી અર્જુન ક્યાથી લાવીશ ?

એટલે જ તો કહે છે આ અણસમજુ દિલ આવવુ હોય તો ભલે આવે,
જ્યા પથ્થરે પથ્થરે ભગવાન થાય છે, ત્યા તારૂ ભગવાનપણુ કેમ સાચવીશ ?