કહી દો
પેલા કાનુડાને કે આવવુ હોય તો ભલે આવે, અમને કંઈ વાંધો નથી.
બસ
કહેવુ છે એટલુ જ કે એ ગોકુળ ક્યાંથી લાવીશ ?
મથુરાની
જેલ અને પેલી ઘનઘોર રાતો તો બહુ મળશે તને અવતરવા,
પણ માતા
દેવકીનો ખોળો અને પિતા વાસુદેવ ક્યાથી લાવીશ ?
સાંભળ્યુ
છે કે છે તને મટકી ફોડીને માખણ ખાવાની આદત,
અમૂલ અને વિમલના જમાનામાં તું ક્યાથી ફાવિશ ?
કહેવાય
છે કે ચપટીભર ચોખાનોય હિસાબ રાખે છે તું,
લેવાને
પેલા તાંદુલનો હિલાબ તારો યાર સુદામાં ક્યાથી લાવીશ ?
કદંબના
વ્રૂક્ષ તો એક-બે મળશે તને વાંસળી વગાડવા,
પણ એ
વાંસળીના સુરઘેલી
રાધા ને પેલી ગોપીઓ ક્યાથી લાવીશ ?
સ્વાર્થની
આ દુનીયામા મહાભારત કરાવવુ કોઈ મોટુ કામ નહી હોય,
બસ કૂરૂક્ષેત્રના
મેદાનમાં ગાંડીવધારી અર્જુન ક્યાથી લાવીશ ?
એટલે જ
તો કહે છે આ ‘અણસમજુ દિલ’ આવવુ હોય તો ભલે આવે,
જ્યા
પથ્થરે પથ્થરે ભગવાન થાય છે, ત્યા તારૂ ભગવાનપણુ કેમ સાચવીશ ?