ફોટો સૌજન્ય - ગૂગલ
ઈન્કલાબ એટલે કે ક્રાંતિનો પર્યાય અને
ભારતદેશના યુવાનોના આદર્શ શહીદે આઝમ ભગતસિંહ કે જેઓએ અંગ્રેજોની ગુલામીમાંથી
ભારતને આઝાદ કરવા માટે માત્ર 23 વર્ષની ઉમરમાં પોતાના પ્રાણની આહુતી આપી. સામાન્ય
દ્રષ્ટિએ આજે ભગતસિંહને આઝાદીની લડાઈના ઉગ્ર આંદોલના પ્રમુખ ચહેરા તરીકે જોવામાં
આવે છે. પરંતુ ભગતસિંહની જે ઓળખ છે તેનાથી તે ધણા વધારે છે. 23 માર્ચ 1931ના દિવસે
ભગતસિંહ સાથે બીજા બે વિરલાઓ સુખદેવ અને રાજગુરૂએ જ્યાંરે ફાંસીને ચુમી તો દેશમાં
આઝાદીની લડાઈમાં એક નવો જુવાળ આવ્યો અને હજારો યુવાનોએ શહીદીનો રસ્તો લીધો અને
આખરે તેમની કુરબાનીના 16 વર્ષો બાદ આઝાદીનો સુરજ ઉગ્યો.
આજે ભારતમાં ત્રણ-ત્રણ વિરલાઓની શહીદીનો ઉત્સવ
મનાવાઈ રહ્યો છે, દેશભરમાં શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે ત્યારે ભગતસિંહથી માંડીને હમણા હમણા
શહીદ થયેલા અમદાવાદના ગોપાલસિંહ ભદોરીયા સુધીના શહિદોને વર્તમાન સાથે જોડીને વાત
કરવી છે. એક તરફ આઝાદીની લડાઈથી લઈને અત્યારસુધી અનેક માતાઓ પોતાના પુત્રને દેશ
માટે કુરબાન કરી રહી છે તો બીજી તરફ આ જ દેશની સંસદમાં અને નેતાઓની રેલીઓમાં એ
શહીદોના કફનની વોટ માટે નિલામી થઈ રહી છે. મહાત્માં ગાંધીની ખાદી પહેરીને આ નેતાઓ
જ્યારે વોટ માટે શહીદોને બજારમાં મુકે છે ત્યારે માનસિક સ્થિતી ગીતાનો ઉપદેશ
સાંભળ્યા પછીના અર્જુન જેવી થઈ જાય છે. બસ હથિયાર ઉપાડો અને અધર્મની સાથે રહેલા
દરેકને હણી નાખો. પરંતુ આવી વેદનાઓને કલમથી કાગળ પર ઉતારવા સિવાય કોઈ રસ્તો નથી.
એટલે આજે દેશની સ્થિતી જોઈને શહીદોની મનોસ્થિતીને વર્ણવવાનો એક પ્રયત્ન કર્યો છે.
કેટલાક શબ્દો સમર્પિત છે માં ભારતીના કપાળનુ તિલક બની ગયેલા ભગત, સુખદેવ, રાજગુરૂ અને તેના જેવા જ અનેક માતાઓના
લાલને...જય હિન્દ...
અમારી આ શહાદત આજકાલ ક્યાંક વેડફાતી લાગે છે.
તીલક અને ટોપીના ઝધડામાં ક્યાંક અફડાતી લાગે છે.
ખૂનની હોળી ખેલીને કુરબાન થઈ ગયા અમે,
વાત ઈન્કલાબની આજકાલ ક્યાંક ભુલાતી લાગે છે.
ચાર ગજ જમીન પણ નહોતી અમારા નસીબમા,
આજે અમારા જ નામ પણ સસંદ આખી વેચાતી લાગે છે.
કેવા સપનાઓ જોયા હતા અમે આઝાદ-એ-હિન્દ માટે,
બે ચાર વેપારીઓના હાથે વતનની લાજ લૂંટાતી લાગે છે.
અમારી આ શહાદત આજકાલ ક્યાંક વેડફાતી લાગે છે.
તીલક અને ટોપીના ઝધડામાં ક્યાંક અફડાતી લાગે છે.