Thursday 25 August 2016

કહી દો પેલા કાનુડાને..


કહી દો પેલા કાનુડાને કે આવવુ હોય તો ભલે આવે, અમને કંઈ વાંધો નથી.
બસ કહેવુ છે એટલુ જ કે ગોકુળ ક્યાંથી લાવીશ ?

મથુરાની જેલ અને પેલી ઘનઘોર રાતો તો બહુ મળશે તને અવતરવા,
પણ માતા દેવકીનો ખોળો અને પિતા વાસુદેવ ક્યાથી લાવીશ ?

સાંભળ્યુ છે કે છે તને મટકી ફોડીને માખણ ખાવાની આદત,
અમૂલ  અને વિમલના જમાનામાં તું ક્યાથી ફાવિશ ?

કહેવાય છે કે ચપટીભર ચોખાનોય હિસાબ રાખે છે તું,
લેવાને પેલા તાંદુલનો હિલાબ તારો યાર સુદામાં ક્યાથી લાવીશ ?

કદંબના વ્રૂક્ષ તો એક-બે મળશે તને વાંસળી વગાડવા,
પણ એ વાંસળીના સુરઘેલી રાધા ને પેલી ગોપીઓ ક્યાથી લાવીશ ?

સ્વાર્થની આ દુનીયામા મહાભારત કરાવવુ કોઈ મોટુ કામ નહી હોય,
બસ કૂરૂક્ષેત્રના મેદાનમાં ગાંડીવધારી અર્જુન ક્યાથી લાવીશ ?

એટલે જ તો કહે છે આ અણસમજુ દિલ આવવુ હોય તો ભલે આવે,
જ્યા પથ્થરે પથ્થરે ભગવાન થાય છે, ત્યા તારૂ ભગવાનપણુ કેમ સાચવીશ ?